Over 10 years we help companies reach their financial and branding goals. Engitech is a values-driven technology agency dedicated.

Gallery

Contacts

411 University St, Seattle, USA

engitech@oceanthemes.net

+1 -800-456-478-23

(About Us)

અમારા વિશે

સમર્થ ભારત એ એક સંસ્કાર આધારિત રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસ્થ, બુદ્ધિશાળી, ગુણવાન અને સંસ્કારી સંતાન દ્વારા સમર્થ ભારતનું નિર્માણ કરવો છે.

પ્રાચીન ભારતીય ઋષિ પરંપરામાં ગર્ભાધાન પૂર્વથી જ સંતાનના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. આજના આધુનિક જીવનમાં આ મૂલ્યો ધીમે ધીમે વિસરાઈ રહ્યા છે. સમર્થ ભારત આ ભૂલાયેલી વૈજ્ઞાનિક અને સંસ્કારસભર પદ્ધતિઓને પુનઃજીવંત કરવાનો પ્રયાસ છે.

આ કેન્દ્ર આયુર્વેદ, યોગ, પંચકર્મ, ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કારના આધારે માતા‑પિતાને યોગ્ય માર્ગદર્શન આપે છે જેથી સંતાન શ્રેષ્ઠ ગુણો સાથે વિકસે.

અમારી વિચારધારા

દરેક માતા-પિતાની સ્વાભાવિક ઈચ્છા હોય છે કે
તેમનું સંતાન સ્વસ્થ, ચબરાક, હોશિયાર, સંસ્કારયુક્ત અને જીવનમાં સફળ બને.

પરંતુ આજના ઝડપી અને તણાવસભર જીવનમાં
આયુર્વેદ, સંસ્કાર અને પરંપરાગત ગર્ભ વિજ્ઞાન ધીમે ધીમે ભૂલાતું જઈ રહ્યું છે.

સમર્થ ભારત એ ભૂલાઈ ગયેલી
ભારતીય ગર્ભ સંસ્કાર પરંપરાઓને
વૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમ સાથે
ફરીથી જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ છે

ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર

ભારતીય શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે
સંતાનનું ઘડતર ગર્ભથી જ શરૂ થાય છે.

માતા-પિતાની વિચારધારા, ભાવનાઓ, આહાર, વર્તન અને વાતાવરણ
ગર્ભસ્થ શિશુના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ પર
ઊંડો પ્રભાવ પાડે છે.

સમર્થ ભારત ખાતે
આયુર્વેદ, યોગ અને વૈજ્ઞાનિક ગર્ભ વિજ્ઞાનના આધારે
ગર્ભાધાન પૂર્વથી શિશુ વિકાસ સુધી
સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.

  • ગર્ભ સંસ્કાર દ્વારા શ્રેષ્ઠ સંતાનનું નિર્માણ

  • માતા-પિતામાં જાગૃતિ અને સંસ્કારની સમજ વિકસાવવી

  • આયુર્વેદ અને યોગ આધારિત સ્વસ્થ જીવનશૈલીનો પ્રચાર

  • આવનારી પેઢીને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવી

સ્વસ્થ માતા → સંસ્કારયુક્ત સંતાન → સમર્થ ભારત

આ સૂત્ર સાથે
સમર્થ ભારત આવનારી પેઢીને
ભારતીય મૂલ્યો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે
સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

What We Do

અમે શું કરીએ છીએ

સમર્થ ભારત કેન્દ્રમાં નીચે મુજબની સેવાઓ આપવામાં આવે છે:

  • ગર્ભ વિજ્ઞાન માર્ગદર્શન

  • ગર્ભ સંસ્કાર કાર્યક્રમો

  • યોગ અને પંચકર્મ

  • સુવર્ણપ્રાશન

  • શિશુ પરામર્શ

  • માતા-પિતા કાઉન્સેલિંગ

  • સંસ્કાર પ્રવૃત્તિઓ

  • આયુર્વેદિક આહાર માર્ગદર્શન

તમારા બાળકના સ્વસ્થ અને સુખદ ભવિષ્ય માટે આજે જ સમર્થ ભારત સાથે જોડાઓ.

અમારો સંપર્ક