ભારતીય સંસ્કાર આધારિત અભિગમ
શાસ્ત્રોક્ત પરંપરા અને ભારતીય જીવનમૂલ્યોને કેન્દ્રમાં રાખીને સમગ્ર માર્ગદર્શન આપવામાં આવે છે.
શ્રેષ્ઠ સંતાનથી સમર્થ ભારતનું નિર્માણ
શ્રેષ્ઠ સંતાનથી સમર્થ ભારતનું નિર્માણ
પરિચય
સમર્થ ભારત એક સંસ્કાર આધારિત અભિયાન છે, જેનો ઉદ્દેશ્ય સ્વસ્થ, બુદ્ધિશાળી અને ગુણવાન સંતાન દ્વારા સમર્થ ભારતનું નિર્માણ કરવાનો છે. આયુર્વેદ, યોગ અને ગર્ભ સંસ્કારના જ્ઞાન દ્વારા ગર્ભાધાન પૂર્વથી શિશુ વિકાસ સુધી માતા-પિતા અને પરિવારને માર્ગદર્શન આપવામાં આવે છે.
કેન્દ્રમાં દંપતીને ગર્ભાધાન પૂર્વેની શારીરિક તથા માનસિક તૈયારી, ગર્ભાવસ્થા દરમિયાનની દિનચર્યા, આહાર-વિહાર, યોગાભ્યાસ, સદ્વાચન અને સંસ્કાર પ્રવૃત્તિઓ અંગે વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે છે.
અમારો અભિગમ પરિવાર કેન્દ્રિત છે — માત્ર માતા નહીં, પિતા અને પરિવારના સભ્યોને પણ સાથે રાખીને સહયોગપૂર્ણ અને પ્રસન્ન વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે.

દરેક પરિવાર સુધી ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કારનું જ્ઞાન સરળ ભાષામાં પહોંચાડવું.
શાસ્ત્રીય પરંપરા અને આધુનિક સમજણનો સમન્વય, વ્યવહારુ અને પરિવાર કેન્દ્રિત.
વિશેષતા
શાસ્ત્રોક્ત પરંપરા અને ભારતીય જીવનમૂલ્યોને કેન્દ્રમાં રાખીને સમગ્ર માર્ગદર્શન આપવામાં આવે છે.
આહાર-વિહાર, દિનચર્યા, પંચકર્મ અને યોગાભ્યાસ અંગે વ્યવસ્થિત તથા સરળ માર્ગદર્શન.
ગર્ભાધાન પૂર્વથી લઈ પ્રસૂતિ પછી સુધી દંપતીને પગલે-પગલે સહયોગ અને સમજણ.
શિશુના પોષણ, રમત, ભાષા અને બુદ્ધિ વિકાસ માટે વયાનુસાર પ્રવૃત્તિઓનું આયોજન.
કથા, સંગીત, સદ્વાચન અને પરંપરાગત સંસ્કારો દ્વારા મૂલ્યનિષ્ઠ ઘડતર.
માત્ર માતા નહીં, સમગ્ર પરિવારને સાથે રાખીને સહયોગપૂર્ણ વાતાવરણનું નિર્માણ.
સંકલ્પના
સ્વસ્થ, સંસ્કારી અને તેજસ્વી સંતાનોના નિર્માણ થકી સમર્થ રાષ્ટ્રનું નિર્માણ — એ જ અમારો સંકલ્પ.
જે રીતે ધ્રુવ, પ્રહલાદ, અભિમન્યુ, છત્રપતિ શિવાજી મહારાજ અને સ્વામી વિવેકાનંદ જેવા તેજસ્વી સંતાનો સંસ્કારપૂર્ણ ગર્ભાધાન અને ગર્ભ સંસ્કારનું પરિણામ છે, તે જ પરંપરાગત વિજ્ઞાનને આજના પરિવારો સુધી પહોંચાડવાનું કાર્ય સમર્થ ભારત કેન્દ્ર કરે છે.
ગર્ભાધાન પૂર્વેની તૈયારીથી લઈને શિશુના પાંચ વર્ષ સુધીના વિકાસ સુધી — આહાર, વિહાર, યોગ, પંચકર્મ, સંસ્કારવિધિ અને પ્રશિક્ષણ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.
આયુર્વેદ
લગ્નના સમયે સ્ત્રી અને પુરુષનું ગોત્ર એક ન હોવું જોઈએ
બાળકને આનુવંશિક રોગ થવાની સંભાવના ટાળવી
ગર્ભાધાન પૂર્વે સ્ત્રી અને પુરુષ બંનેએ સ્વસ્થ અને શુદ્ધ હોવું જોઈએ
ગર્ભાધાન પૂર્વે ઓછામાં ઓછા ત્રણ માસ શારીરિક તથા માનસિક રીતે તૈયારી કરવી
ભવિષ્યમાં જન્મ લેનારા બાળક કેવું હોય તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ
આહાર, વિહાર, દિનચર્યા, સ્વાસ્થ્ય, યોગ્ય નક્ષત્ર અને યોગ્ય સમય (ઋતુ) નું ધ્યાન રાખવું
સ્વસ્થ માતા • સંસ્કારી સંતાન • સમર્થ ભારત