સકારાત્મક વિચાર
માતાના પ્રસન્ન અને શાંત મનનું વાતાવરણ સંતાનના ઘડતરમાં મદદરૂપ ગણાય છે.
શ્રેષ્ઠ સંતાનથી સમર્થ ભારતનું નિર્માણ
ગર્ભથી જ સંતાનના શ્રેષ્ઠ સંસ્કારનું ઘડતર
સમજણ
ગર્ભ સંસ્કાર એટલે ગર્ભાવસ્થાના નવ માસ દરમિયાન માતા અને પરિવાર દ્વારા અપનાવવામાં આવતી એવી જીવનશૈલી, જેમાં સકારાત્મક વિચાર, સાત્વિક આહાર, યોગ, સંગીત, સદ્વાચન અને પ્રસન્ન વાતાવરણનો સમાવેશ થાય છે.
આ સમગ્ર પ્રક્રિયા સંતાનના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ ગણાય છે અને માતાના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. કેન્દ્ર પર આ અંગે વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે છે.
નોંધ: અહીં આપવામાં આવતી માહિતી માર્ગદર્શન સ્વરૂપે છે. કોઈપણ આરોગ્ય વિષયક નિર્ણય પહેલાં આપના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.

માસ અનુસાર માર્ગદર્શન
દરેક માસની અવસ્થા, વિકાસ ક્રમ, આહાર, પંચેન્દ્રિય સાધના, યોગાભ્યાસ, સંસ્કાર અને પરિણામ.
અવસ્થા
કલલાવસ્થા (પ્રથમ દસ દિવસ), બુદ્બુદાવસ્થા (પછીના વીસ દિવસ)
વિકાસ ક્રમ
પ્રથમ માસમાં ગર્ભ સર્વ મહાભૂતો તથા સર્વ ધાતુઓથી યુક્ત, શ્લેષ્મ સદશ અસ્પષ્ટ શરીરવાળો હોય છે.
| સવાર | બપોર | સાંજ |
|---|---|---|
| દૂધ, ખીર | દાળ-ભાત, મગ-ભાત, દૂધીનો સૂપ | દાળનું પાણી, મગનું પાણી, દૂધ-પૌંઆ |
વિશેષ
સુવર્ણ સિદ્ધ પાણી લેવું.
ફ્રૂટ્સ
કેળાં, નાળિયેર પાણી; ઋતુ અનુસાર ફળો તથા ખાટા રસનું સેવન (વૈદ્યની સલાહ મુજબ)
અપથ્ય
તીખું-તળેલું ન ખાવું, ઠંડા પીણાં ન પીવાં, વાસી તથા સૂકો ખોરાક ન લેવો, અતિશય વ્યાયામ ન કરવો, મુસાફરી ટાળવી, આથમતો સૂર્ય ન જોવો.
વસ્ત્ર
સફેદ અથવા હળવા રંગનાં ખુલ્લાં કપડાં પહેરવાં.
અલંકાર
હીરા અને ચાંદીના ઘરેણાં પહેરવાં.
સ્નાનદ્રવ્ય
પ્રજાસ્થાપક ઉબટન
વિહાર
બગીચામાં અથવા ખુલ્લી હવામાં ફરવું; દેવાલય/મંદિરમાં દેવ દર્શન કરવા તથા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવો; આરાધ્ય દેવ-દેવીની સ્તુતિ કરવી.
શ્રવણેન્દ્રિય
ગર્ભદૃઢન સૂક્ત, પ્રાણસૂક્ત, શુક્રગ્રહનાં મંત્રો સાંભળવા. દિવસમાં કોઈપણ સમયે શાંત, હળવું ભારતીય સંગીત સાંભળવું.
ઘ્રાણેન્દ્રિય
મોગરો, ચંપો, જુઈ વગેરે પુષ્પોનો પ્રસાધનમાં ઉપયોગ કરવો.
મન (સ્વાધ્યાય)
રામાયણ બાળકાંડનું વાંચન; શ્રી કૃષ્ણ તથા શ્રી રામની બાળલીલાની સી.ડી. જોવી. સંતાન ગોપાલ સ્તોત્રના ૧ થી ૧૦ શ્લોક કંઠસ્થ કરવા-બોલવા.
આસન
(૧) કટિચક્રાસન (૨) પદ્માસન (૩) એકપાદ તાડાસન (૪) તાડાસન (૫) માર્જરાસન (૬) પતંગિયાસન (૭) પાદ ઉત્થાનાસન
પ્રાણાયામ
(૧) અનુલોમ-વિલોમ (૨) શીતલી
પરિણામ: ગર્ભ દૃઢત્વને પ્રાપ્ત કરે છે.
નોંધ: આહાર પ્રકૃતિ અને ઋતુ અનુસાર વૈદ્યની સલાહ મુજબ લેવો.
આધાર
માતાના પ્રસન્ન અને શાંત મનનું વાતાવરણ સંતાનના ઘડતરમાં મદદરૂપ ગણાય છે.
ઋતુ અને અવસ્થા અનુસાર સાત્વિક આહાર તથા નિયમિત દિનચર્યાનું પાલન.
માર્ગદર્શન હેઠળ સરળ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ.
શાસ્ત્રીય સંગીત, પ્રેરક કથાઓ અને શ્લોક-વાચનની ટેવ.
પરંપરાગત સંસ્કારવિધિઓ અને કુટુંબના મૂલ્યોનું જતન.
પતિ અને પરિવારના સભ્યોનો સક્રિય સહયોગ તથા સંવાદ.
સંસ્કાર
કેન્દ્ર પર આવેલી યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંસ્કારવિધિનું આયોજન કરવામાં આવે છે.
ગર્ભાધાન
પુંસવન
સીમંતોન્નયન
જાતકર્મ
નામકરણ
નિષ્ક્રમણ
અન્નપ્રાશન
ચૌલ સંસ્કાર
કર્ણવેધ
વિદ્યારંભ
ઉપનયન સંસ્કાર
સંસ્કારવિધિ માટે કેન્દ્ર પર યજ્ઞશાળાની સુવિધા ઉપલબ્ધ છે.
સ્વસ્થ માતા • સંસ્કારી સંતાન • સમર્થ ભારત